સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગની નવી માર્ગદર્શિકા અનુસાર જે કેન્દ્રીય કર્મચારીઓએ 20 વર્ષની નિયમિત સેવા પૂરી કરી છે તેઓ ઇચ્છે તો નિમણૂક અધિકારીને ત્રણ મહિનાની નોટિસ આપીને સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી મેળવી શકે છે.
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે 11 ઓક્ટોબર 2024ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. આ નવા નિયમો અનુસાર જે કર્મચારીઓએ 20 વર્ષની સેવાનો સમયગાળો પૂરો કર્યો છે તે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી શકે છે. આ માટે તેઓએ જે ઓથોરિટીની નિમણૂક કરી છે તેને અરજી કરવાની રહેશે. જો ઓથોરિટી કેન્દ્રીય કર્મચારીની વિનંતીને નકારે નહીં તો નોટિસનો સમયગાળો પૂરો થતાંની સાથે જ નિવૃત્તિ લાગુ થઈ જશે.
આ નિયમ અનુસાર જો કોઈ કેન્દ્રીય કર્મચારી ત્રણ મહિનાથી ઓછા નોટિસ પીરિયડમાં નિવૃત્ત થવા માંગે છે તો તેણે ધ્યાનમાં લીધા પછી નોટિસનો સમયગાળો ટૂંકો કરી શકે છે. એકવાર કેન્દ્રીય કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે નોટિસ આપે છે, તે સત્તાધિકારીની મંજૂરી વિના તેને પાછી ખેંચી શકતો નથી. તેને પાછી ખેંચવા માટે જે તારીખે નિવૃત્તિની પરવાનગી માંગવામાં આવી હતી. તેના 15 દિવસ સુધીમાં અરજી કરવાની રહેશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા નિર્ધિરિત સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મચારીઓને સરકાર તમામ સુવિધાઓ પૂરી પાડશે. આ તમામ સુવિધાઓ નિયમિત નિવૃત્તિ પછી કર્મચારીઓને આપવામાં આવતી સુવિધાઓ જેવી જ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech