જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા મોચી જ્ઞાતિના એક યુવાને પોતાના ઘેર આર્થિક સંકળામણ થી તંગ આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ખત્રી શેરીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા વિશાલ પ્રવીણભાઈ પરમાર નામના ૨૯ વર્ષના મોચી જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ ડાયાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાન આર્થિક ખેંચ અનુભવતો હતો, જેના કારણે જિંદગીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMવાડીપ્લોટ શાકમાર્કેટના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટ્યા
May 09, 2025 02:33 PMવનવિભાગ બાદ હવે પોલીસે બરડા ડુંગરમાં દાની ભઠ્ઠી ઉપર કરી સર્જીકલ સ્ટ્રાઇક!
May 09, 2025 02:32 PMપાકિસ્તાનના ઓકારા આર્મી કેમ્પ પર આજે સવારે ભારતે ડ્રોન હુમલો કર્યો, પાકના લોકોમાં ફફડાટ
May 09, 2025 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech