કારે રિક્ષાને ઠોકર મારતા ત્રણ યુવાનોને નાની મોટી ઇજા થયેલ
જામનગરમાં રણજીત રોડ પર તાજેતરમાં મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને રિક્ષામાં બેઠેલા ત્રણ યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતો નવાજ અકબરભાઈ કેર નામનો 28 વર્ષનો યુવાન ગત તા. 18ના મોડી રાત્રે પોતાની રીક્ષા લઈને રણજીત રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે-3એચકે-4409 નંબરની મારુતિ સુઝુકી અલ્ટો કારના ચાલકે રિક્ષાને ઠોકર મારી દીધી હતી, અને કારચાલક પોતાનું વાહન છોડીને ભાગી છૂટ્યો હતો.
જે અકસ્માતમાં રીક્ષાનો ભૂકકો બોલી ગયો હતો, અને તેમાં ભારે નુકસાની થઈ હતી. આ ઉપરાંત રિક્ષાચાલકને શરીરના અલગ અલગ ભાગોમાં ઈજા થઈ હતી, અને ટાંકા લેવા પડ્યા હતા.
ઉપરાંત રીક્ષામાં બેઠેલા ફરીયાદીના માસીના દીકરા વસીમભાઈ તેમજ મયુદ્દીનભાઈ નામના અન્ય બે યુવાનો પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ અકસ્માતના બનાવ અંગે નવાઝભાઈ કેરએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગઇકાલે અલ્ટો કારના ચાલક સામે અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech