પોરબંદરમાં એટ્ર્રોસીટીના ગુન્હામાં આરોપીના શરતી જામીન મંજૂર થયા છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરમાં રાજીવનગર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જનજાતિના યુવાન નિકુંજભાઇ મનસુખભાઇ ચૌહાણ દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ કે આરોપી અલ્કેશ વિઠ્ઠલ જુંગી મચ્છીના વેપારી રહે. ભાટીયાબજાર પોરબંદરવાળાએ પોતાની જાતી પ્રત્યે અપમાનિત કરેલ અને પેટમાં છરી મારી દઇને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. તે મુજબ આઇ.પી.સી. કલમ-૩૦૭, અનુસૂચિત જનજાતિ અત્યાચાર અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતો.
ત્યારબાદ આરોપી દ્વારા પોરબંદરના એડવોકેટ જગદીશ માધવ મોતીવરસ દ્વારા આરોપીની જામીન અરજી પોરબંદરની સ્પેશ્યલ કોર્ટ એન્ડ ડિસ્ટ્રકીટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી. તેમા મૂળ ફરિયાદી દ્વારા તેના વકીલ મારફત જામીન અરજીના વાંધા રજૂ કરેલ હતા અને સોગંદનામુ રજૂ કરીને જણાવેલ કે ૩૦૭ અને એટ્રોસીટી જેવા ગંભીર ગુન્હા કે જેમાં આજીવન અને દશ વર્ષની સજાની જોગવાઇ હોય જે ધ્યાને લઇને આરોપીની જામીન અરજી નામંજૂર કરવી જ્યારે આરોપીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે કે ભોગ બનનાર ફરીયાદીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. હવે ભયમુકત છે. આ ઉપરાંત હકીકતોને કારણોપૂર્વક વિચારણા ઉપર લેવા કોર્ટમાં અરજી કરેલ હતી સાથે સાથે ‘જામીન એ નિયમ છે જેલ એ અપવાદ છે.’ તથા પ્રી-ટ્રાયલ ક્ધવીકશન અંગે ઠરાવેલા સિધ્ધાંતો વંચાણે લેવા અપીલ કરી હતી. અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ રાખેલા હતા. આરોપીના વકીલની તમામ દલીલ ધ્યાને લઇને કોર્ટે શરતોને આધિન આરોપીને જામીન મુકત કરેલા હતા.
આ કામના આરોપીના વકીલ જગદીશ માધવ મોતીવરસ, હેતલબેન ડી. સલેટ, જય ડી. સલેટ, રીનાબેન ખુંટી, ફૈઝાન હાલાઇ, નાગાભાઇ ઓડેદરા અને આશિષ જુંગી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech