જાણીતા કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ જયપુરમાં ચાલી રહેલી કથા દરમિયાન કહ્યું હતું કે છોકરીઓની નાભિ ઢાંકેલી જ હોવી જોઈએ તો જ તેઓ સુરક્ષિત રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આજના સમયમાં લોકોના પોશાક પહેરવાની રીતને કારણે ગુનાઓ વધી રહ્યા છે. જેના માટે છોકરીઓ જ જવાબદાર છે.
પંડિત પ્રદીપ મિશ્રાનો દાવો છે કે મહિલાઓની સુરક્ષા કપડાં પર આધાર રાખે છે મહિલાઓએ તેમની નાભિ ન બતાવવી જોઈએ 'છોકરીઓ ફક્ત ત્યારે જ સુરક્ષિત રહેશે જો તેમની નાભિ ઢંકાયેલી હશે. મધ્યપ્રદેશના સિરોહીના પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ મહિલાઓની સુરક્ષા અંગે એવું નિવેદન આપ્યું છે, જેના કારણે તેઓ વિવાદમાં આવી ગયા છે. રાજસ્થાનના જયપુરમાં પંડિત પ્રદીપ મિશ્રાએ કહ્યું, "છોકરીઓની નાભિ ઢાંકેલી હોવી જોઈએ, તો જ તેઓ સુરક્ષિત રહી શકે છે કારણ કે આજના સમયમાં તેમના પહેરવેશને કારણે ગુનાઓ વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પંડિત પ્રદીપ મિશ્રા જયપુરમાં સાત દિવસીય શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે. તેમણે આ નિવેદન કથાના બીજા દિવસે, શનિવાર (૩ મે) ના રોજ આપ્યું હતું.જેના પગલે હોબાળો મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech