ચાર માસ વનરાજોના વેકેશન બાદ આજે સાસણગીર પ્રવાસીઓ માટે ખુલ્લ ુ મુકાયું હતું. વહેલી સવારે પ્રવાસીઓને કુમકુમ તિલક, ગુલાબનું ફલ આપી આવકારવામાં આવ્યા હતા. પ્રથમ ટ્રીપને વન વિભાગના સીસીએફ મોહનરામે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું . સવારે સિંહ દર્શન કરવા ગયેલ પ્રવાસીઓને જીપ પાસે ડાલા મથ્થા સિંહ જોવા મળતા પ્રવાસીઓમાં આનદં છવાયો હતો.
ચાર માસ સુધી મોનસુન અને સિંહના મેટિંગ પિરિયડના કારણે સાસણગીર પ્રવાસીઓ માટે બધં રાખવામાં આવ્યું હતું. સારા વરસાદના કારણે જંગલ વિસ્તારમાં ગ્રીનરી અને આહલાદક વાતાવરણ સર્જાયું છે. જંગલના રાજા સિંહને નિહાળવા પ્રવાસીઓમાં અનેરી ઉત્સુકતા જોવા મળી હતી. અત્રે ઉલ્લ ેખનીય છે કે આજથી વિધિવત સાસણગીર અને જૂનાગઢ ગીરનેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લ ું મુકાયું છે.દિવાળી સુધી પરમીટ બુકિંગમાં ઘસારો જોવા મળે છે.આસપાસની હોટલમાં પણ એડવાન્સ બુકિંગ થયા છે. ચાર માસ સુધી સિંહ ઉપરાંત જીપ્સીના ચાલકોને પણ મીની વેકેશન હતું.
આજથી વિધિવત સિંહ દર્શન શ થતા જીપ્સીના ચાલકોને પણ રોજગારી મળી રહેશે. સાસણગીરમાં સિંહ ઉપરાંત અનેક અન્ય વન્ય પ્રજાતિઓના પણ લોકોને ખુલી જીપ અને અધ્યતન એસી બસમાં દર્શન થશે. જુનાગઢ વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં પણ શ થયેલ ગીર નેચર સફારી પાર્કમાં પણ દૈનિક સવાર સાંજ ચાર ચાર મળી કુલ આઠ પરમીટ આપવામાં આવે છે આજથી સફારી પાર્ક પણ કાર્યરત થતા તેની પરમિટમાં પણ બુકિંગ થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech