મોરબીમાં આજે કાજલ હિન્દુસ્તાની ની વિરુદ્ધમાં પાટીદારોની મહારેલી સવારે યોજાઈ હતી. મોરબી શહેર અને ગામેગામથી પાટીદારો ઉમટી પડ્યા હતા. કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવાની માંગણી સાથે પાટીદાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં પાટીદાર અગ્રણીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બહેનો અને દીકરીઓ માટે વાણી વિલાસ સાંખી લેવાશે નહિ.
મોરબી કાજલ હિન્દુસ્તાનીએ કરેલ અશોભનીય ટીપ્પણીના વિરુદ્ધમાં પાટીદાર સમાજની મહારેલી યોજાઈ હતી.કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની સભામાં પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીથી પાટીદાર સમાજમાં રોષ ભભૂક્યો છે અને પાટીદાર સમાજના યુવાનો દ્વારા અગાઉ પોલીસ મથકમાં અરજી કરી ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી હતી તો હવે પાટીદાર સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે.
પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુથી રેલીનું આયોજન કરાયું હતું જેમાં રેલીમાં મોરબી જીલ્લામાં વસતા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં બાઈક અને કાર રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સામાકાંઠે કલેકટર કચેરીએ પહોંચી હતી અને ત્યાર બાદ કલેકટરને ઉગ્ર રજુઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુધ્ધના ભણકારા વચ્ચે શહેરમાં બેઠકોનો શરુ થયેલો ધમધમાટ
May 09, 2025 04:12 PMભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ
May 09, 2025 03:20 PMસરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે રાજકોટ પોલીસ એલર્ટ
May 09, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech