મહાબચત ઉત્સવ તા. 15 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવ્યો
નયારા એનર્જીએ દેશભરમાંથી ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના પગલે તેની વાર્ષિક મહાબચત ઉત્સવ સ્કીમને દેશભરમાં 15 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવી છે. આ ખૂબ જ લોકપ્રિય સ્કીમ જે ગ્રાહકો પેટ્રોલ પર રૂ. 2,000 કે તેનાથી વધુ ખર્ચ કરે તેમને ઊંચું મૂલ્ય આપે છે અને રૂ. 50ની ઇન્સ્ટન્ટ બચત મેળવી શકે છે જ્યારે રૂ. 1,500થી રૂ. 1,999 સુધી ખર્ચ કરનારા લોકો તમામ પાર્ટિસિપેટિંગ સ્ટેશન્સ ખાતેથી રૂ. 30 બચાવી શકે છે. આ પહેલ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરે છે અને માત્ર ડિજિટલ પેમેન્ટ માટે જ છે. નયારા એનર્જી 6,500 ફ્યુઅલ સ્ટેશન્સથી વધુનું વ્યાપક નેટવર્ક ધરાવે છે જે તેને ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર બનાવે છે. નેશનલ ક્રિકેટર કે એલ રાહુલ આ કેમ્પેઇનનો ચહેરો છે.
આ નવી ગ્રાહક પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે “આ પહેલની સફળતા નયારા એનર્જીના ગ્રાહકો દ્વારા દર્શાવેલી અપ્રતિમ વફાદારી અને સપોર્ટ માટે તેની ગહન પ્રશંસા વ્યક્ત કરે છે. નયારા એનર્જીના રિટેલ આઉટલેટ્સ ફ્રેન્ચાઇઝી અને ગ્રાહકો બંનેને અનોખા લાભો આપે છે અને હાઈવે, શહેરો, ગ્રામીણ વિસ્તારો તથા અંતરિયાળ વિસ્તારોમાં દેશભરમાં મજબૂત હાજરી ધરાવે છે તથા ભારતમાં મોબિલિટી અને કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”
નયારા એનર્જી તેના રિટેલ આઉટલેટ્સ ખાતે આનંદદાયક અનુભવ ઊભો કરવા માટે પ્રયત્નશીલ છે અને એનર્જી સેક્ટરમાં નવીનતા તથા ગ્રાહક-આધારિત પહેલના શિરમોર રહે છે. કંપની નવીનતમ પ્રોગ્રામ્સ તથા ઓફરિંગ્સ સાથે ગ્રાહકોનો અનુભવ વધારવા માટે સતત પ્રયાસો કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech