વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે સવારે પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકેને મળવા પહોંચ્યા હતા. અહીં રેડ કાર્પેટ પર તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. થાઇલેન્ડની મુલાકાત બાદ તેઓ ગઈકાલે રાત્રે શ્રીલંકા પહોંચ્યા હતા. આજે, મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરસુરિયાને પણ મળશે.
પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં મોદી તમિલ સમુદાયને વધુ અધિકારો આપવાની માંગ ઉઠાવી શકે છે. આ ઉપરાંત, બંને સંરક્ષણ અને આર્થિક બાબતો પર ચર્ચા કરશે. ઉપરાંત, ગયા વર્ષે થયેલા દ્વિપક્ષીય કરારને ફાઈનલ કરવામાં આવશે. આ દરમિયાન, તેમની વચ્ચે શ્રીલંકામાં રહેતા માછીમારો અને તમિલ નાગરિકોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. પીએમ મોદીની શ્રીલંકાની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 2015 અને 2019માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા.
લોનની ચુકવણીમાં ભારત શ્રીલંકાને રાહત આપી શકે છે
ભારતે ડિસેમ્બર 2024 સુધી શ્રીલંકાને આશરે 5 બિલિયન ડોલરની લાઈન્સ ઓફ ક્રેડિટ અને ગ્રાન્ટ સહાય કરી છે. લોન રિસ્ટ્રક્ચરમાં લોન લેનાર શ્રીલંકા, ભારત સાથે લોનની શરતોમાં ફેરફાર- જેમ કે વ્યાજદરમાં ઘટાડો, લોનની ચુકવણીની મુદત લંબાવવી અથવા અમુક કિસ્સાઓમાં લોનનો એક હિસ્સો માફ કરવાની માંગ કરી શકે છે.
મોદી મહાબોધિ મંદિરની મુલાકાત લેશે
પ્રાપ્ત વિગત મુજબ, બંને નેતાઓ પાવર, રેલવે અને અન્ય ક્ષેત્રોમાં આવા ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે જે ભારતના સહયોગથી શ્રીલંકામાં ચાલી રહ્યા છે. પીએમ મોદી દેશના ઘણા નેતાઓને પણ મળી શકે છે. મોદી અને દિસાનાયકે પણ ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે અને ત્યાં સ્થિત મહાબોધિ મંદિરની મુલાકાત લેશે. અહીંના મહાબોધિ વૃક્ષને તે બોધિ વૃક્ષનો એક ભાગ માનવામાં આવે છે. જે અંતર્ગત મહાત્મા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એવો દાવો કરવામાં આવે છે કે આ વૃક્ષ 2,300 વર્ષથી વધુ જૂનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech