જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા અને બજરંગ વાડીમાં ગુરુનાનક ચાઈનીઝ પંજાબી નામે રેસ્ટોરન્ટ ચલાવનાર યુવાનને વ્યાજની ઉઘરાણી માટે ત્રણ શખસોએ ઢીકાપાટુ અને ગેસની પાઇપ્ની નળી વડે મારમાર્યો હતો. યુવાને ધંધાની જરૂરિયાત માટે રૂપિયા એક લાખ વ્યાજે લીધા હોય જેના બદલામાં 2.45 લાખ ચૂકવી દીધા છતાં હજુ વધુ રૂપિયા બે લાખની માંગણી કરી યુવાનને માર મારી ધમકી આપી હતી. જેથી યુવાને આ અંગે ત્રણ શખસો વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પરસાણાનગરમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 203 માં રહેતા જગદીશ રાજેશભાઈ તનીયા(ઉ.વ 28) દ્વારા નોંધાવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે શાહરૂખ વિકિયાણી, સમીર મુનાફભાઈ જુણેજા અને અલ્ફાઝના નામ આપ્યા છે. જગદીશભાઈ જણાવ્યું હતું કે, તેમને બજરંગવાડી સર્કલ પાસે ગુરૂનાનક ચાઈનીઝ પંજાબી નામે રેસ્ટોરન્ટ આવેલું છે. તેઓને ધંધા માટે પૈસાની જરૂરિયાત હોય તેણે પોતાના મિત્ર શાહરૂખને વાત કરતા તેણે 1 લાખ વ્યાજે આપ્યા હતા. જેમાં 90,000 જ આપ્યા હતા. બાદમાં રૂપિયા 10000 વ્યાજ પેટે વસૂલી લીધા હતા. ત્યારબાદ ફરિયાદી નિયમિત વ્યાજ ચૂકવતા હતા પરંતુ ત્રણ મહિના પૂર્વે ધંધામાં મંદી આવતાં વ્યાજની રકમ ચૂકવી ન શકતા શાહરૂખ, સમીર તથા અલ્ફાઝ યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. યુવાને એક લાખના બદલામાં 2.45 લાખ જેવી રકમ ચૂકવી દીધી હોવા છતાં વધુ રૂપિયા બે લાખની ઉઘરાણી કરતા હતા.
ગત તા.7/1 રાત્રિના યુવાન તેના મિત્ર સાથે જતો હતો ત્યારે સાંઢિયા પુલ પાસે શાહરૂખ, સમીર તેને રોક્યો હતો અને બાદમાં તેઓ સોમનાથ ટ્રાવેલ્સની ઓફિસે ગયા હતા ત્યાં અલ્ફાઝ પણ હાજર હોય ત્રણેય પૈસા બાબતે ઉઘરાણી કરી ધમકી આપી હતી કે, પૈસા નહીં આપે તો હાથ પગ વિનાનો કરી નાખીશ. બાદમાં યુવાનને ઢીકાપાટુનો તથા ગેસની નળી વડે બેફામ માર્યો હતો અને તેને શાહરૂખના ઘર પાસે લઈ ગયા હતા જ્યાં શાહરૂખે ફરી ધમકી આપી હતી અને બાદમાં ઘરે મૂકી ગયા હતા. યુવાનને ઇજા પહોંચી હોય સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ ત્રણેય શખસો વિરુદ્ધ વ્યાજખોરી અંગેની આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોખીરા બસસ્ટેશન સામે મકાનોમાં પાણી ઘૂસે નહી તે માટે તંત્ર આગોત આયોજન કરે
May 09, 2025 02:37 PMજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech