SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SME)ના IPOના નિયમો કડક કર્યા છે. હવે IPO માટે ઓછામાં ઓછા બે વર્ષમાં ₹1 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ ફરજિયાત રહેશે. પ્રમોટર્સ IPOનો વધુમાં વધુ 20% હિસ્સો જ વેચી શકશે. વેચનાર શેરધારકો 50%થી વધુ હિસ્સો વેચી શકશે નહીં. SEBIએ લઘુત્તમ અરજીનું કદ વધારીને બે લોટ કર્યું છે જેથી નાના રોકાણકારોને વધુ સુરક્ષા મળી શકે.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SME)ના IPO સાથે સંકળાયેલા નિયમો કડક કર્યા છે. નવા નિયમો હેઠળ પ્રમોટર્સ હવે ઓફર ફોર સેલ (OFS) હેઠળ કુલ IPOનો 20%થી વધુ હિસ્સો વેચી શકશે નહીં. આ ઉપરાંત વેચનાર શેરધારકોને તેમની વર્તમાન હિસ્સેદારીના 50%થી વધુ વેચાણની મંજૂરી નહીં મળે.
IPO માટે નફાની શરત ફરજિયાત
હવે SMEને IPO લાવવા માટે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાંથી ઓછામાં ઓછા બે વર્ષ સુધી લઘુત્તમ ₹1 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ બતાવવો ફરજિયાત રહેશે. આ નિયમ એવી કંપનીઓને નિરુત્સાહિત કરશે જે સ્થિર નફા વિના બજારમાંથી મૂડી એકત્ર કરવા માગે છે.
SEBIએ SME IPOમાં બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે ફાળવણી પદ્ધતિને મુખ્ય બજાર (Mainboard)ને અનુરૂપ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી રોકાણકારોને વધુ પારદર્શિતા અને સમાન તકો મળશે.
સેબીએ સામાન્ય કોર્પોરેટ હેતુ (GCP) માટે SME IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમના મહત્તમ 15% અથવા ₹10 કરોડ (જે ઓછું હોય તે) ની મર્યાદા નક્કી કરી છે. આનાથી IPO ભંડોળનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળશે.
SME IPO માં DRHP પ્રક્રિયા પારદર્શક બની
હવે SME IPO માં, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જાહેર ટિપ્પણીઓ માટે 21 દિવસ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, DRHP સુધી સરળતાથી પહોંચવા માટે અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરવાની અને QR કોડનો સમાવેશ કરવાની જરૂર પડશે.
પ્રમોટર્સને IPO ફંડમાંથી તેમની લોન ચૂકવવાની મંજૂરી નથી
સેબીએ સ્પષ્ટતા કરી છે કે SME IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ પ્રમોટર, પ્રમોટર જૂથ અથવા સંબંધિત પક્ષોની લોન ચૂકવવા માટે કરી શકાતો નથી. આનાથી ખાતરી થશે કે કંપનીઓ IPOમાંથી એકત્ર કરાયેલી મૂડીનો યોગ્ય રીતે ઉપયોગ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech