સતં અને સુરાની ભૂમિ જૂનાગઢમાં અનેક સંતો મહંતોનું અને યોગદાન છે. પીઢ સંતોની વિદાયથી સોરઠની ભૂમિને મોટી ખોટ પડી રહી છે તેવા જ એક સતં દેવલોક થતા ભાવિકો ગમગીન થયા છે. ગિરનાર અંબાજી મંદિર અને જવાહર રોડ પર આવેલ પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરના મહતં અને મોટા પીર બાવા તનસુખગીરી બાપુ ગઈકાલે બ્રહ્મલીન થયા હતા. તનસુખગીરી બાપુની સવારે ભીડભંજન મંદિરેથી ભવનાથ સુધી પાલખીયાત્રા યોજાઇ હતી. જેમાં સંતો મહંતો અને ભાવિકો જોડાયા હતા.ભવનાથ વેપારીઓ દ્રારા પાલખીયાત્રા સમયે દુકાનો બધં રાખી દર્શન કર્યા હતા.ત્યારબાદ ભવનાથ થી પરત જવાહર રોડ ખાતે આવેલ મંદિરે યાત્રા પરત ફરી હતી અને બપોરે મંદિર ખાતે જ તેઓની સમાધિ આપવામાં આવી હતી બાપુના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડા હતા.
તનસુખ ગીરી બાપુની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા યાં તેઓ સારવાર દરમિયાન દેવલોક થતાં ભાવિકો અને ગિરનાર સતં મંડળમાં શોકનું મોજું છવાયું છે.બાપુની છેલ્લ ા ઘણા મહિનાથી નાદુરસ્ત તબિયત રહેતી હતી ત્યારબાદ એકાએક તબિયત લથડતા વધુ સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેઓએ વિદાય લેતા ભાવિકોમા ગમગીની છવાઈ છે. તનસુખગીરી બાપુ વર્ષેાથી ગિરનાર ટોચ પર બિરાજમાન અંબાજી મંદિરના પણ મહતં તરીકે કાર્યરત હતા તેઓ દ્રારા નવરાત્રી સમયે અંબાજી મંદિરે પૂરતો વીજ પુરવઠો આપવા માંગ કરી હતી જેથી સરકાર દ્રારા તેઓની માંગ સ્વીકારી પ્રથમ નોરતે જ ગિરનારની ટોચ પર અને અંબાજી મંદિરે લાઈટોનો ઝગમગાટ શ કર્યેા હતો. નેતાઓથી લઈ કર્મીઓ સાથે સુમેળભર્યા સંબંધો
રહ્યા હતા.
તનસુખગીરી બાપુ ના દેવલોકના સમાચાર સાંભળતા મંદિર ખાતે સેવકો અને ભાવિકો અંતિમ દર્શનાર્થે પહોંચ્યા હતા. જવાહર રોડ ભીડભંજન મહાદેવ મંદિરેથી ભવનાથ સુધી બાપુની પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ,સંતો મહંતો જોડાયા હતા. ત્યારબાદ યાત્રા ભવનાથ થી જવાહર રોડ ખાતે આવેલ મંદિરે પરત ફરી હતી અને મંદિર ખાતે જ બાપુને વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી. સોરઠના વધુ એક સંતની વિદાયથી ભાવિકોમાં શોક છવાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech