મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ કાંડના મામલે થયેલી જાહેરહિતની અરજીમાં એક વધારાની અરજી મારફતે આ કેસની ફોજદારી તપાસ અન્ય એજન્સી સીબીઆઈ ને સોંપવા અને ચાર્જશીટ સહિતના કાર્યવાહી રદ કરવા તથા તત્કાલીન કલેક્ટર અને મોરબી નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની દાદ માગવામાં આવી હતી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અજંતા કંપ્નીને પુલનું મેનેજમેન્ટ સોંપવા સંદર્ભે તત્કાલીન કલેક્ટરની કોઇ ભૂમિકા ન હોવાનું તારણ આપતા આ અરજી ફગાવી દીધી છે.
ન.પા.ના ચીફ ઓફિસર દ્વારા એગ્રિમેન્ટ પર સહી કરી હોવાથી કંપ્ની દ્વારા પુલનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને એ પુલ જાહેર નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ન.પા.ના અધિકારીઓ સાથે કોઇ પરામર્શ, ચચર્િ વિચારણા વિના પુલ ખુલ્લ ો મૂકી દેવાયો હતો અને પુલ શરૂ થયાના ચારથી પાંચ દિવસમાં જ પુલ તૂટી પડ્યો હતો.
ખંડપીઠે નોંધ્યું હતું કેકંપ્ની અને ન.પા.ના ચીફ ઓફિસર વચ્ચે એગ્રિમેન્ટ પર સહી થઇ હતી અને કલેક્ટર કચેરી ખાતે થયેલી મીટિંગમાં કંપ્ની અને ન.પા.ના ચીફ ઓફિસર વચ્ચે એગ્રિમેન્ટની શરતો અને નિયમો પર ચચર્િ થઇ હતી. આ સિવાય કલેક્ટરની કોઇ ભૂમિકા સામે આવી નથી અને ખાસ કરીને કંપ્નીને પુલની ફાળવણી કરવા કે સમાર કામની મંજૂરી આપવા સંદર્ભે તેમની ભૂમિકા સામે આવી નથી. તત્કાલીન કલેક્ટરની 2020થી 2022 વચ્ચે પુલના મેઇન્ટેનન્સ, રિપેરિંગ, ઓપરેશન, મેનેજમેન્ટ સંદર્ભે કોઇ ભૂમિકા ન હોવાથી તેમને જવાબદાર ઠરાવી શકાય નહીં. કંપ્ની અને મોરબી ન.પા. વચ્ચે પુલના મેઇન્ટેનન્સ અંગેના કરાર થયા હતા. તેથી તત્કાલીન મોરબી કલેક્ટરને પુલના મેઇન્ટેનન્સ સંદર્ભે જવાબદાર ગણવાની અરજદારની માગ અર્થહીન જણાય છે. તેથી સેશન્સ કોર્ટ સમક્ષ પેન્ડિંગ ટ્રાયલની તપાસ, ચાર્જશીટને રદ કરવાની અને સ્વતંત્ર એજન્સી સીબીઆઈને તપાસ આપવાની દાદ ફગાવવામાં આવે છે.
એક પીડિત તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેમને રૂપિયા વહેલા મળી જાય. આ રજૂઆત કોર્ટ કમિશનર અને કોર્ટ મિત્રે કરી હતી અને પીડિતો માટેનું ફંડ રૂ. 6.75 કરોડ હોવાનું જણાવ્યું હતું. ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે,જો તેમને જરૂર હોય તે સમયે રૂપિયા ન મળે તો એ રૂપિયા બેંકમાં રોકી રાખવાનો શું અર્થ? પીડિતો રોકાણકારો નથી કે તેઓ વ્યાજની વાટ જુએ. આ રૂપિયાનું ફંડ તેમને કટોકટીમાં જ્યારે જરૂર હોય ત્યારે મળવું જોઇએ અને આ માટે સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂઆત અરજી કરી શકે.
ખંડપીઠે મુંબઇમાં રહેતી યુવતીને વળતર આપવા બાબતે ટકોર કરી હતી કે,તે એક સ્વસ્થ યુવતી હતી અને હવે તે દિવ્યાંગ છે, તેથી તેનું ્વતર અન્ય કરતાં અલગ હોવું જોઇએ. તે નોકરીમાં હતી અને ઉચ્ચ પગાર પર હતી અને તેને નોકરીમાં આઠેક મહિના નુકસાન થયું છે. તેથી તે કંપ્ની જોડેથી રૂ. 12 હજારનું વળતર નહીં પરંતુ નોકરીની નુકસાનીની ભરપાઇ માગી રહી છે. સાથે જ કંપ્નીને નિર્દેશ આપ્યા હતા કે, આ કેસના કોર્ટ મિત્રને 25 હજાર અને કોર્ટ કમિશનરને 50 હજાર કંપ્ની આપવામાં આવે.તેવી ટકોર કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech