ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ નહી તે માટે થઈ ને આગોતરા પગલાના ભાગરૂપે નાયબ કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારી, હોટેલ, રેસ્ટોરેન્ટ વગેરેમાં વિશેષ ચકાસણી ઝૂબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના એ.જી. ચોક હોકર્સ ઝોન કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 44 કિલો વાસી અને અખાદ્ય પદાર્થોનો જથ્થો મળ્યો હતો જેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો.
વિશેષમાં ફૂડ બ્રાન્ચના ડેઝીગ્નેટેડ ઓફિસરએ જણાવ્યું હતું કે કાલાવડ રોડ ઉપરના એજી ચોક હોકર્સ ઝોનમાં ચેકિંગ દરમિયાન (1)દિલખુશ પાણીપુરીમાં બટેટા અને ઢોકળાની ખીરું મળીને કુલ સાત કિલો જથ્થો (2)બાલા ચાઇનીઝ પંજાબીમાં આજીનો મોટો સાત કિલો (3)જયશ્રી રામ ચાઇનીઝ પંજાબીમાં બાંધેલો લોટ, ગાર્લિક પેસ્ટ મળીને ચાર કિલો (4)હર હર મહાદેવ ચાઇનીઝ - ગ્રેવી તથા નુડલ્સ મળીને કુલ-છ કિલો (5)માહિર મદ્રાસ કાફે -બટેટાનો મસાલો પાંચ કિલો (6)માહિર ચાઇનીઝ પંજાબીમાં ગ્રેવી તથા આજીનો મોટો મળીને કુલ પાંચ કિલો (7)પીઠડ ચાઇનીઝ પંજાબીમાં વાસી પ્નીર બે કિલો (8)યશ ફાસ્ટફૂડમાં મીઠી ચટણી - બે કિલો (9)શ્રીનાથજી ભેળ પાણીપૂરીમાં બાફેલા બટેટા ત્રણ કિલો (10)ભોલા ફાસ્ટફૂડમાં વાસી પિઝા બે કિલો (11) રૂહી વેજ મોમઝમાં વાસી પ્નીર એક કિલો મળીને કુલ 44 કી.ગ્રા. ખાદ્યચીજનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન ઉપરની સ્ટ્રાઈક બાદ પોરબંદર સહિત રાજ્યના માછીમારોને કરાયા સાવચેત
May 08, 2025 03:24 PMસોઢાણા ગામના મહિલા કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી
May 08, 2025 03:23 PMપાંચ કરોડનો ચેક રિટર્ન કેસની પ્રોસિડિંગ સ્ટેની આરોપી કંપનીની અરજી ફગાવાઈ
May 08, 2025 03:07 PMપોરબંદર જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૦.૪૨ ટકા પરિણામ થયુ જાહેર
May 08, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech