પોરબંદર તાલુકાના માધવપુર ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાં છેલ્લ ા કેટલાક લાંબા સમયથી કેટલાક આડેધડ ગેરકાયદે દબાણો ખડકાય જવાથી આંબેડકર ચોકની જગ્યા સદંતર દબાઈ જવા પામી હતી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની માંગણી સાથે અહીંના સામાજિક કાર્યકર અને પત્રકાર શાંતિલાલ મેવાડાએ માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવવા માટે સતત લડત ચલાવી રહ્યા હતા જેને તેર વર્ષની લાંબી લડાઇ બાદ સફળતા મળી હતી.
અંતે તા.૦૨ના રોજ માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સવારના ૧૦–૩૦ વાગ્યાથી પૂરતા પોલીસ કાફલા અને બંદોબસ્ત સાથે પોરબંદરના તાલુકા વિકાસ અધિકારી જે.એલ. ઠકરારની સીધી દેખરેખ હેઠળ નિમાયેલી અલગ અલગ ટીમોને સાથે રાખીને માધવપુર ગ્રામ પંચાયતના સરપચં ભનુ ભૂવા અને તલાટી મંત્રી ગજેન્દ્ર લાડવા સહિત પંચાયતના સ્ટાફ અને પંચાયતના સભ્યોને સાથે રાખીને બે જેસીબી મારફતે મેગા ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાંજ સુધીમાં આંબેડકર ચોકમાં ૨૩ જેટલી દુકાનનો કડૂછલો બોલાવી દેવાયો હતો આ ઉપરાંત આંબેડકર ચોકની આજુ બાજુમાં મોટા જાપા વિસ્તારમાં આવેલી અન્ય દુકાનો મળીને કુલ ૩૬ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને વર્ષેાથી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો ને દૂર કરીને અંદાજે કરોડો પિયાની સરકારી જમીનને ખુલી કરાવી હતી ડીમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અઘટિત ઘટના કે આગ જેવી ઘટના ન ઘટે તેવા હેતુથી ફાયરબ્રિગેડની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી અને ૧૦૮ ઇમરજન્સી સેવાને પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech