બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયને નિશાન બનાવવાના કરતૂતો ચાલુ જ રહ્યા છે. યુનુસ સરકારની નિષ્ક્રિયતાના પગલે હિંસાનો દૌર લંબાયો છે. ચટ્ટોગ્રામમાં ટોળાએ ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ કરી નુકસાન પહોચાડું છે. સૂત્રોચ્ચાર કરતા કરતા લોકો મંદિરોમાં ઘુસી ગયા હતા અને તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે રાજદ્રોહનો કેસ નોંધાયા બાદ ચિત્તાગોંગમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. નોંધનીય છે કે વચગાળાની યુનુસ સરકાર લઘુમતી સમુદાયની રક્ષા કરવામાં અને તેમને સલામતીનું કવચ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાના એક કરતા વધુ પુરાવાઓ આ હત્પમલાઓ આપી રહ્યા છે.
આ હત્પમલો બંદર શહેરના હરીશ ચદ્રં મુન્સેફ લેનમાં થયો હતો અને આ દરમિયાન શાંતેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નારો લગાવતા સેંકડો લોકોના જૂથે મંદિરો પર ઈંટો અને પથ્થરો ફેંકયા હતા, જેના કારણે શનિ મંદિરના દરવાજા અને અન્ય બે મંદિરોને નુકસાન થયું હતું.
કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટ્રિ કરી હતી અને કહ્યું હતું કે હત્પમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યેા હતો. પોલીસે કહ્યું કે મંદિરોને બહત્પ ઓછું નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને નુકસાન
May 12, 2025 12:56 PMજામનગર ૧૮૧ અભયમ ટીમે બાળ લગ્ન અટકાવ્યા
May 12, 2025 12:47 PMજામનગર પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પરેશાન
May 12, 2025 12:46 PMપ્રાસંગિક: આજે ૧૨મી મેં નર્સિંગ ડે
May 12, 2025 12:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech