ખરેખર ૫૦૦ રૂપિયાની નોટ બંધ થઇ જશે? સોશિયલ મીડિયા પર મેસેજ થયા વાયરલ

  • May 05, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક દિવસોથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ વધુને વધુ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકએ 500 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વાયરલ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં 90 ટકા એટીએમમાંથી ફક્ત 100 અને 200 રૂપિયાની નોટો જ ઉપલબ્ધ થશે.

વાયરલ પોસ્ટમાં એક સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ બેંકોને તેમના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા વધારવાનો નિર્દેશ આપ્યો છે. આ પોસ્ટ કરનારા યુઝર્સ કહે છે કે આનો અર્થ એ છે કે 500 રૂપિયાની નોટ ધીમે ધીમે ચલણમાંથી દૂર થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ખરેખર બેંકોને એક નિર્દેશ જારી કર્યો છે. જોકે, આ નિર્દેશમાં ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. આરબીઆઈનો વાસ્તવિક નિર્દેશ ફક્ત એટલો જ છે કે બેંકોએ તેમના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટોની ઉપલબ્ધતા વધારવી જોઈએ.

આરબીઆઈનું આ પગલું સામાન્ય લોકો સુધી નાની નોટોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે છે. ઘણીવાર લોકોને એટીએમમાંથી 500 કે 2000 રૂપિયાની નોટો કાઢ્યા પછી તેને છુટા કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના દુકાનદારો અને સામાન્ય લોકો પાસે ઘણીવાર આટલી મોટી નોટોના છુટા હોતા નથી. આરબીઆઈ ઇચ્છે છે કે લોકોને એટીએમમાંથી સીધી નાની નોટો મળી રહે જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે.

મતલબ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આરબીઆઈએ ૫૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. બેંકોને ફક્ત એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટોની સંખ્યા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી સામાન્ય લોકો માટે નાની નોટો સરળતાથી ઉપલબ્ધ થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application