જસદણમાં આટકોટ રોડ પર રાધેશ્યામનગરમાં રહેતા પરિવારના ઘરમાં વહેલી સવારના તસ્કરો ત્રાટકયા હતાં. અહીં રહેતા વૃદ્ધા સત્સગં માટે ગયા હોય તેમના મનો દરવાજાનો નકુચો તોડી તેમજ પરિવારના અન્ય સભ્યો અન્ય મમાં હોય જેના દરવાજા બહારથી બધં કરી દઇ વૃદ્ધાના મમાંથી સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ પિયા ૫.૧૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં આટકોટ રોડ પર રાધેશ્યામનગર વડલાવાળી શેરીમાં રહેતા અને પ્લમ્બિંગ કામ કરનાર સુનિલભાઈ પ્રભુભાઈ સાંગડીયા (ઉ.વ ૩૫) દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પરિવારમાં ત્રણ ભાઈઓ તથા ત્રણ બહેનો છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અહીં ઘરમાં ફરિયાદી તથા તેમના પત્ની અને તેમના સંતાનો તથા તેમના નાના ભાઈ સંજય અને તેનો પરિવાર તથા અન્ય ભાઇ મનોજ અને ફરિયાદીના માતા સંયુકત રીતે રહે છે. જેમાં ઉપરના માળે ફરિયાદી તથા તેમના ભાઈ મનોજનો પરિવાર રહે છે તેમજ તેનો ભાઈ સંજય તથા તેમના માતા નીચે અલગ મમાં રહે છે.
ગઇ તા. ૪૨૨૦૨૫ ના પરિવારજનો રાત્રીના બારેક વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા ત્યારબાદ તા. ૫ ના વહેલી સવારના ૫:૩૦ વાગ્યે ફરિયાદીના પત્ની કાજલના મોબાઇલમાં તેમના દેરાણી કોમલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મનો દરવાજો ખોલો બહારથી આંગળીયો બધં છે જેથી ફરિયાદીના પત્નીએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા તેમના મનો આંગડિયો પણ બહારથી બધં હોય જેથી બાજુના મમાં ગયા ત્યારે મનોજભાઈના મનો દરવાજો પણ બહારથી બધં હતો. દરમિયાન અહીં શેરીમાંથી એક વિધાર્થી નીકળતા તેને બૂમ પાડી દરવાજો ખોલવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેણે દરવાજો ખોલતા અન્ય મના દરવાજા ખોલી પરિવારજનો બહાર આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનો નીચે જઇ જોતા તેમના માતા સવારે પાંચ વાગ્યે ગીતાનગરમાં બ્રહ્માકુમારી સત્સગં કરવા માટે જાય છે ત્યાં ગયા હોય અને તેમના મનો દરવાજો ખુલ્લો હતો અને સામાન પણ વેરવિખેર પડો હતો જેથી તુરતં તેમના માતાને તેઓ અહીં લાવ્યા હતા.
આ બાબતે ફરિયાદીએ તેમના માતાને પૂછતા તેણે કહ્યું હતું કે, હત્પં સવારે પાંચ વાગ્યે ઘરેથી ચાલીને નીકળી ત્યારે બહાર દરવાજો તાળું મારીને ગઇ હતી અને મને પણ આંગળીયો માર્યેા હતો. જેથી કોઈ શખસોએ વહેલી સવારના અહીં ઘરમાં આવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ફરિયાદીના માતાના મનો દરવાજો ખોલી તેમાં રહેલી તિજોરીનો દરવાજો બેવડો વાળી તિજોરીમાંથી સોનાના દાગીના જેમાં બે સોનાના હાર તથા નાની મોટી સોનાની વીંટી સહિત આશરે ૧૦ તોલા સોનું કિં. . ૫ લાખ તથા રોકડ પિયા ૧૦,૦૦૦ મળી કુલ પિયા ૫.૧૦ લાખની મત્તા ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું. જેથી આ અંગે સુનિલભાઈએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફટેજ ચકાસી વહેલી સવારના મકાનમાંથી હાથફેરો કરનાર તસ્કર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ ટી.બી.જાની ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech