@aajkaldigitalteam
આઇસીસીએ આ વર્ષે જૂન માસમાં યોજાનારા ટી20 વર્લ્ડકપનું શિડયૂઅલ જાહેર કર્યું છે. આ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તમામ 20 ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ટી20 વર્લ્ડ કપના ગ્રુપમાં ભારતને પાકિસ્તાનની સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય ગ્રુપએમાં આયર્લેન્ડ, અમેરિકા અને કેનેડા પણ સામેલ છે. ભારત ગ્રુપ સ્ટેજની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કમાં અને છેલ્લી મેચ ફ્લોરિડામાં રમાશે.
જો કે ટી20 વર્લ્ડ કપની ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવાને લઈને સસ્પેન્સ છે. કારણ કે, ટી20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં બહાર થયા બાદ આ બંને ખેલાડીઓએ એકપણ ટી20 મેચ રમી નથી. આથી, ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટીમને મહત્વની સલાહ આપી છે. એક વાતચીત દરમિયાન ઇરફાન પઠાણે કહ્યું કે તેને લાગે છે કે ભારતને બંને ખેલાડીઓના અનુભવની જરૂર પડશે કારણ કે ટૂર્નામેન્ટની બધી પીચો નવી હોવાથી અજાણી છે.
આ સાથે જ ઈરફાન પઠાણે કહ્યું હતું કે તેઓ અંગત રીતે વિરાટ કોહલીને મેદાન પર જોવાનું પસંદ કરશે કારણ કે જ્યારે આપણે બે વર્ષ પહેલાની વાત કરીએ છીએ, ત્યારે તે ચોક્કસપણે તેના શ્રેષ્ઠ ફોર્મમાં ન હતો. પરંતુ છેલ્લે IPL 2023 અને T20 તેના માટે ખાસ ટૂર્નામેન્ટમાંના એક રહ્યા છે. આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, જયારે તમે વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં રમતા હો ત્યારે ત્યાંની પિચો તદ્દન અજાણી હોય છે. આ પીચો પર રમવા માટે તમારે મેદાનની અંદર અને બહાર બંને અનુભવી ખેલાડીઓની જરૂર રહે છે. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવા અંગે સ્પેશન છે ત્યારે ઇરાફાન પઠાને તેની પ્રતિક્રિયા પાઠવી આ બન્ને ખેલાડીઓની ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આવશ્યકતા હોવાની વાતને પરોક્ષ રીતે સમર્થન આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech