શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા સમારોહ યોજાશે
જામનગર શહેર તથા સમગ્ર હાલાર વિસ્તારમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના સંયુકત ઉપકમે જામનગર શહેરના ગણપતિ મહોત્સવના આયોજકોનો સન્માન સમારોહ યોજાશે.
સમગ્ર ભારતીય સંસ્કૃતીમાં સર્વે માંગલીક કાર્યોનો પ્રારંભ જેના નામ અને સ્થાપનથી થાય છે તેવા દુંદાળા દેવ ગણપતિના મહાઉત્સવનો મંગલ પ્રારંભ વિક્રમ સવંત 2080 ભાદરવા સુદ ચતુર્થીના રોજ થઈ રહયો છે અને જામનગરની ધર્મપ્રેમી જનતા દ્વારા ગણપતિ દાદાના આ મહોત્સવની ભારે ઘામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી કરનારા તમામ ગણપતિ મંડળના સંચાલકો-પાંડાલોનું સન્માન કરવાનો કાર્યક્રમ છેલ્લા 13 વર્ષથી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે.
આ સન્માન સમારોહના કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા જામનગર શહેરના તમામ ગણપતિ મંડળના આયોજકો - પંડાલોના સંચાલકોએ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે સંસ્થાનું ફોર્મ તા.07-09-2024 થી તા.17-09-2024 સુધીમાં સવારના 10--30 થી 1-30 સુધી અને સાંજે 4-00 થી 8-00 ના સમય દરમ્યાન ટ્રસ્ટના વહિવટી કાયર્લિય (ત્રણબતી, ઝુલેલાલ મંદિર સામે, જામનગર) ખાતે ભરીને પહોંચતું કરવા ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech