જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક યુવાને પોતાની ધ્રુજારીની બીમારી તેમજ માનસિક બીમારીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા સચિન કૈલાસગીરી ગોસ્વામી નામના ૨૧ વર્ષના બાવાજી યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બાલંભા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા કૈલાશગિરી નરોતમગીરી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવાન નાનપણથી જ હાથ અને પગની ધ્રુજારીની બીમારીથી પીડાતો હતો, જેના કારણે તેનાથી ગેરેજ નું કામ પણ થઈ શકતું ન હતું, તેમજ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી પણ લાગુ પડી ગઈ હોવાથી તે બીમારીથી કંટાળી જઈ ગળાફાંષા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું તેના પિતા દ્વારા જાહેર કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech