માતા પુત્રનો બચાવ: ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઇ આગને કાબુમાં લઇ લેતાં આસપાસમાં આગ વધુ પ્રસરતી અટકી
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં મોડી સાંજે ૮.૩૦ વાગ્યે એક રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ગાદલા ગોદડા વગેરે સળગી ઊઠ્યા હતા. તે દરમિયાન મકાનમાં હાજર રહેલા માતા-પૂત્ર બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઇ આગને કાબુમાં લઈ લેતાં આસપાસના મકાનોમાં આગ વધુ પ્રસરતી અટકી હતી.
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં અતિ ગીચ એરિયામાં રહેતા દલપતભાઈ ખીમજીભાઈ ના રહેણાંક મકાનમાં અકસ્માતે આગ લાગી હતી, અને શોર્ટ સર્કિટ થવાથી ગાદલા, ગોદડા, ઇલેક્ટ્રિક વાયરીંગ વગેરે સળગવા લાગ્યા હતા.
આ બનાવ સમયે મકાનમાં દલપત ભાઈ ખીમજીભાઇ (૨૫) અને તેમના માતા મંજુલાબેન ખીમજીભાઈ (ઉમર ૫૦) કે જેઓ બંને હાજર હતા, અને તુરત જ ઘરની બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો.
આગના બનાવના કારણે આસપાસના ગીચ વિસ્તારમાં આજુ બાજુમાં અન્ય મકાનો હોવાથી પાડોશીઓમાં દોડધામ થઈ હતી, અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
ફાયર શાખા ની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આગ સમયસર કાબુમાં આવી ગઇ હોવાથી આસપાસના અન્ય મકાનોમાં આગ પ્રસરે તે પહેલા કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ આશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech