જામનગરની પરણીતાએ દારૂડિયા પતિ સામે મારકૂટ અને ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી

  • June 06, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મોમાઈ નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગોંડલમાં રહેતા પોતાના દારૂડિયા પ્રતિ સામે મારકુટ અને ત્રાસ અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસનો દોર ગોંડલ સુધી લંબાવ્યો છે.


આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના મોમાઈનગર શેરી નંબર -૩ માં રહેતી નીધીબેન અશ્વિનભાઈ મકવાણા નામની ૩૦ વર્ષની યુવતી, કે જેણે ગઈકાલે મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગોંડલમાં રહેતા પોતાના પતિ અશ્વિનભાઈ ધીરુભાઈ મકવાણા સામે દારૂનો નશો કરીને અવાર નવાર શારીરિક ને માનસિક ત્રાસ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નિધીબેન ને તેણી નો પતિ અશ્વિન મકવાણા પોતાના લગ્નજીવન દરમિયાન અવારનવાર ઘરે દારૂ પીને આવતો હતો, અને પોતાને મારકુટ કરી ગાળો આપતો હોવાથી તેના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું હતું, અને પોતાના માવતરે રહેવા આવી ગયા પછી આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


જે ફરિયાદના અનુસંધાને પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ નો દોર ગોંડલ તરફ લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application