જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમીતે કરાયું શસ્ત્રોનું પરંપરાગત પૂજન

  • October 14, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે વિજ્યા દશમીના પાવન પ્રસંગે જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા સાંજે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજપૂત સમાજ નાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા, રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ આજે સાંજે પ-૩૦ વાગ્યે ક્રિકેટ બંગલા પાસેના રાજપૂત સેવા સમાજમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સેવા સમાજ અને રાજપૂત યુવક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સમાજના ભાઈ ઓ સાફા-પાઘડી ધારણ કરીને બહેનોએ શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું, આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ઉપરાંત સમાજના આગેવાન પી.એસ.જાડેજા, નવલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, નયનાબા  જાડેજા, ગોવુભા જાડેજા સહિતના ભાઈઓ અને બહેનો જોડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application