શનિવારે વિજ્યા દશમીના પાવન પ્રસંગે જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા સાંજે શસ્ત્રપૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજપૂત સમાજ નાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા, રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ આજે સાંજે પ-૩૦ વાગ્યે ક્રિકેટ બંગલા પાસેના રાજપૂત સેવા સમાજમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સેવા સમાજ અને રાજપૂત યુવક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સમાજના ભાઈ ઓ સાફા-પાઘડી ધારણ કરીને બહેનોએ શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું, આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ઉપરાંત સમાજના આગેવાન પી.એસ.જાડેજા, નવલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, નયનાબા જાડેજા, ગોવુભા જાડેજા સહિતના ભાઈઓ અને બહેનો જોડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારે પવન, વરસાદથી 20 ફીડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
May 23, 2025 03:16 PMકાયદાના અમલદારો જજ કે જલ્લાદ ન બને: ફેક એન્કાઉન્ટર પર હાઇકોર્ટે લગાવી ફટકાર
May 23, 2025 03:04 PMભારતથી કોઈ બોમ્બ કે લોકો આવતા નથી, હુમલાખોરો આપણા જ છે: પાકિસ્તાની સાંસદ
May 23, 2025 02:58 PMભારતીય સાંસદોની ફ્લાઈટ લેન્ડ થયા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
May 23, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech