જોગવડ સીમમાં ગળાફાંસો ખાઇને યુવાને જીવાદોરી ટુંકાવી

  • May 23, 2025 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરિવારમાં શોકની લાગણી : કારણ જાણવા પોલીસની તપાસ

લાલપુરના જોગવડ ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા એક યુવાને કોઇપણ કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છેે જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

લાલપુરના જોગવડ ગામમાં માતાજીના મંદિર પાસે રહેતા ડ્રાઇવીંગ કરતા ધી‚ભાઇ જેસાભાઇ મોરી (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૨૧ના ગામની સીમમાં જામધર્માદા ટ્રસ્ટની પડતર જમીનના શેઢા પર લીમડાના ઝાડની ડાળીમાં દોરી વડે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ છે. આ બનાવ અંગે જોગવડ ગામમાં રહેતા કરમશી જેસાભાઇ મોરીએ પડાણા પોલીસમાં જાણ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા કયા કારણસર યુવાને પગલુ ભર્યુ એ જાણવા માટે તપાસ લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application