વેકેશન કરવા વતનમાં ગયેલી 11 વર્ષની તરુણીનું વીજશોકથી મોત

  • May 15, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મવડીમાં રહેતી 11 વર્ષની તરુણી જામનગરના અમરાપર ગામે વતનમાં માતા સાથે આટો દેવા ગઈ હોય ત્યારે પંખો ચાલુ કરવા જતા વીજશોક લાગવાથી મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં સ્વામિનારાયણ પાર્ક-3માં રહેતા અશોકભાઈ તેજાભાઈ વીરડાની 11 વર્ષની પુત્રી ભારતી માતા જયશ્રીબેન સાથે જામનગરના અમરાપર ગામે વતનમાં આટો દેવા ગઈ હતી ત્યારે સાંજે રૂમનો પંખો ચાલુ કરવા જતા સ્વિચ બોર્ડમાંથી વીજશોક લાગતા બેભાન થઇ ઢળી પડતા પરિવારજનોએ દોટ મૂકી હતી અને તાકીદે સારવાર માટે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડાતા બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ભારતી એક ભાઈ એક બહેનમાં નાની હતી અને ક્રિષ્ના સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતી હતી. પિતા અશોકભાઈ ડ્રાઇવિંગનું કામ કરે છે. હાલ વેકેશન હોવાથી માતા સાથે વતન અમરાપર ગામે આટો દેવા ગઈ ત્યારે બનાવ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application