જામનગરના એક આસામીને રૂ. ૧ લાખના ચેક પરત ફરવાના કેસમાં અદાલતે છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં રહેતા નરેશ હરજીભાઈ ૫રમાર પાસેથી રોહિત રૂડાભાઈ બારૈયા એ હાથ ઉછીના રૂ. ૧ લાખ મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે નરેશભાઈ પરમારને ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં રોહિત રૂડાભાઈ બારૈયા ને તક્સીરવાન ઠરાવી અદાલતે છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિના ની કેદસજાનો હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech