માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા વાડીનાર, ઓખાના ચાર માછીમારો સામે કાર્યવાહી

  • December 21, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા બંદર ઉપર દરિયામાં માછીમારી કરવા જઈ અને સમયસર પરત ન આવતા આમીન તાલબ ધનાણી સામે તેમજ ટોકન વગર માછીમારી કરવા ગયેલા ભરાણા ગામના અબ્દુલ આદમ ભાયાને ભરાણા બંદર ઉપરથી ઝડપી લઇ, સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ઓખામાં માછીમારી કરવા માટેનું ટોકન કે પરવાનગી મેળવ્યા વગર ઓખા નજીકના ડાલડા બંદરની દરિયાઈ ખાડીમાં માછીમારી કરવા ગયેલા સતાર કરીમ સુંભણીયા તથા અલ્તાફ હાજી સુંભણીયા નામના બે શખ્સો સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application