સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત

  • May 18, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાબરકાંઠા જિલ્લામાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. ઈડર-હિંમતનગર હાઈવે પર રાજપુર પાટિયા નજીક એક ST બસ અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી.


પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રીક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.


ઘટનાની જાણ થતાની સાથે જ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને કબજે કરી પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.


​​​​​​​પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં તપાસ હાથ ધરી છે. ST બસના ડ્રાઈવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો, જોકે પોલીસે તાત્કાલિક કામગીરી કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી.

આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો પર આભ ફાટ્યું છે. માર્ગ સલામતીના નિયમોના પાલન અને વાહન ચાલકોની સાવચેતીના અભાવે આવા ગંભીર અકસ્માતો વારંવાર બનતા રહે છે, જે ચિંતાનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application