ડાંગરવાડા ગામમાં બિમારીથી કંટાળીને વૃઘ્ધે વખડા ધોળ્યા
જોડીયા તાલુકાના કોઠારીયા આમરણમાં રહેતા એક વૃઘ્ધનું હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજયું છે, જયારે ડાંગરવડા ગામની સીમમાં બિમારીથી કંટાળી એક વૃઘ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
જોડીયા તાલુકાના કોઠારીયા આમરણ ગામમાં રહેતા ભરતસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.૬૫)ને હૃદયનો હુમલો આવતા બેભાન બની ગયા હતા, દરમ્યાન સારવારમાં તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે પ્રવિણસિંહ જાડેજાએ જોડીયા પોલીસમાં ગઇકાલે જાણ કરી હતી.
બીજા બનાવમાં કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતા ખેતીકામ કરતા જેઠાભાઇ મોહનભાઇ વોરા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધને ઘણા સમયથી ડાયાબીટીસ તેમજ બ્લડ પ્રેશરની બિમારી હોય જેથી બિમારીથી કંટાળીને ગત તા. ૭ના સાંજના સુમારે ગામની સીમમાં ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયુ હતું. આ અંગે હાલ રાજકોટ રહેતા જીતુભાઇ વોરા દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech