પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે આ અંગે સૂચનાઓ જારી કરી છે અને તમામ નાગરિકોને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.
કલેક્ટરે નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કર્યો છે. બ્લેકઆઉટ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સરહદી વિસ્તાર હોવાથી તકેદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
સાંતલપુર તાલુકાના તમામ ગ્રામજનોને વિનંતી છે કે તેઓ શાંતિ જાળવે અને જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે. કોઈપણ તાત્કાલિક જરૂરિયાતના કિસ્સામાં, નાગરિકો સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરી શકે છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આગળની માહિતી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech