જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજાને 0.9 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના કેટલાક ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના આ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.
કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો
આ ઉપરાંત દ્વારકા જીલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં હતા. કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો છે. બેઠાપુલ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. માલઢોર અને લોકોએ અન્ય સલામત જગ્યા પર સ્થળાંતર થવું પડ્યું છે. અમુક લોકો મકાનની છત પર બેસી દિવસ પસાર કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. અનેક વખત રજૂઆત છતા પુલ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ લોકો કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસીદસર રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા
May 19, 2025 04:13 PMમેગા ડિમોલેશન : રાજકોટના 38 આરોપીઓના 38 બાંધકામ પર ફર્યું દાદાનું બુલડોઝર
May 19, 2025 04:13 PMરજાઓનાં દિવસોમાં યાત્રિકો ગંગા આરતી સાથે હરિદ્વાર યાત્રાનો લઈ રહ્યાં છે લાભ
May 19, 2025 04:09 PMભાવનગર-ધોલેરા રોડે માઢિયા નજીક દારુ ભરેલી કારનો અકસ્માત
May 19, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech