દિલ્હી પોલીસમાં તેમના વિરુઘ્ધ હિન્દુ સેનાએ ફરિયાદ પણ કરી છે: તેઓ ભડકાઉ ભાષણથી દુર રહે
તાજેતરમાં એઆઇએમઆઇના ચીફ અસરુદીન ઔવેસીએ રામ મંદિરને લઇને ભડકાઉ ભાષણ બાજી શરુ કરી છે, જેને લીધે દિલ્હી પોલીસમાં હિન્દુ સેનાએ લેખિત ફરિયાદ આપી છે, ઔવેસી પોેતે બાબરી મસ્જીદને શહીદ કરી છે અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટનો ઉલાળીયો કરીને કહે છે કે, અયોઘ્યામાં રામ મંદિર બનવાની પ્રેરવી થઇ રહી છે, જે બીલકુલ ગલત છે અને બાબરી મસ્જીદ આપણા પાસેથી છીનવી લીધી છે, આવું કહેનારની જીભ કાપનારને હિન્દુ સેના ા.૧૧ લાખ આપવામાં આવશે તેવી જાહેરાત હિન્દુ સેનાએ કરી છે.
હિન્દુ સેના ગુજરાતના પ્રતિક ભટ્ટની એક યાદીમાં જણાવ્યા અનુસાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટનો પણ ઉલાળીયો કરી દીધો છે, અયોઘ્યામાં રામ મંદિર બનવાની પ્રેરવી થઇ રહી છે તેવું કહે છે, રામલલ્લાની જગ્યા ઉપર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઇ રહ્યો છે અને મુસ્લિમ પક્ષકારોને પણ તેમને અલગથી જગ્યા ફાળવી આપેલ છે, પરંતુ ઔવૈસી મુસ્લિમ સમુદાયના યુવાનોને ભડકાવી રહ્યો છે જે દેશમાં સાંપ્રદાયીક વૈમનસ્ય ફેલાવી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર બની રહ્યું છે જયારે આ ઔવૈસી સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યો છે અને ગમે ત્યારે સનાતન હિન્દુઓ વિરુઘ્ધ ભડકાઉ ભાષણો અને બે કોમ વચ્ચે ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરીને દેશમાં અરાજકરતા ફેલાવવાની કોશીષ કરી રહ્યો છે અને સાંપ્રદાયીક વૈયમનસ્ય ફેલાવી રહ્યો છે ત્યારે આવા લોકોની બોલતી બંધ કરવા માટે ગુજરાત હિન્દુ સેના દ્વારા ઔવૈસીની જીભ કાપનારને રુા.૧૧ લાખનું ઇનામ જાહેર કર્યુ છે, ભગવાન શ્રી રામ તથા રાષ્ટ્ર વિરુઘ્ધ બફાટો કરતા આવા લોકો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech