અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને વધી રહેલા તણાવને ઓછો કરવા માટે હસ્તક્ષેપ કરે. તેમણે કહ્યું કે કાશ્મીર વિશ્વનો સૌથી સંવેદનશીલ ન્યુક્લિયર ફ્લેશ પોઈન્ટ બની ચૂક્યો છે જ્યાં ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણેય ન્યુક્લિયર તાકાતો સામેલ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની વધતી જતી આગને લઈને પાકિસ્તાનના અમેરિકામાં રાજદૂત રિઝવાન સઈદ શેખે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી છે કે તેઓ ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ઓછો કરવામાં મદદ કરે. તેમનું કહેવું છે કે જેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુરોપ અને મિડલ ઈસ્ટમાં સંઘર્ષો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવી જ રીતે તેમણે દક્ષિણ એશિયામાં પણ શાંતિની પુનઃસ્થાપના માટે પગલાં ભરવા જોઈએ.
અમેરિકી મેગેઝિન ન્યૂઝવીકને આપેલા એક ઈન્ટરવ્યુમાં રિઝવાન સઈદે કહ્યું, "જો અમારી પાસે એવા રાષ્ટ્રપતિ હોય, જે આ શાસનકાળમાં વિશ્વમાં શાંતિ માટે ઊભા હોય, યુદ્ધને ખતમ કરવા, ટકરાવને રોકવા અને મુદ્દાઓને ઉકેલવાનો ઈરાદો ધરાવતા હોય, તો કાશ્મીરથી વધુ મહત્વપૂર્ણ અને ખતરનાક (ખાસ કરીને ન્યુક્લિયરની દૃષ્ટિએ) કોઈ બીજો ફ્લેશ પોઈન્ટ હોઈ ન શકે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech