જામનગરમાં પોલીસ દ્વારા ડીટેઈન કરાયેલા ૪૯૦ વાહનોની હરરાજી

  • May 05, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ટ્રાફિક શાખા તથા સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સમયે કેટલાક ગુન્હાઓમાં ડીટેઈન કરવામાં આવેલા વાહનો તેમના માલિકો દ્વારા જે તે વાહનોને છોડાવવામાં ન આવતાં આવા વાહનો એકઠા થયા છે. આ પ્રકારના ૪૯૦ વાહનના નિકાલ માટે એસ.પી. પ્રેમસુખ ડેલુએ સુચના આપવામાં આવી હતી.



જેના પગલે શનિવારે શ‚ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડકવાર્ટરમાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઈન કરવામાં આવેલા અને પછી ન છોડાવવામાં આવેલા ૪૦૬ વાહન અને ટ્રાફિક શાખાના ડીટેઈન કરેલા ૮૪ વાહનની જાહેરમાં હરરાજી રાખવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપરાંત સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને તમામ વાહનોની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application