બીસીજી ચેરમેન દ્વારા તુર્કી, અઝરબૈજાનના પ્રવાસનો બહિષ્કાર કરવા વકીલોને અનુરોધ

  • May 16, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે "તુર્કી અને અઝરબૈજાન દેશોએ યુધ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને સપોર્ટ કર્યો હોવા બાબતે સમગ્ર ગુજરાતના વકીલ આલમને આ બન્ને દેશોનો પ્રવાસ નહીં કરી, આર્થિક બહિષ્કાર કરવા" અપીલ કરી છે. જે.જે.પટેલે વધુમાં જણાવ્યું છે કે દુનિયામાં એવા અનેક દેશો છે જેમાં તુર્કી અને અઝરબૈજાન કરતા વધુ સુંદર અને આકર્ષક પ્રવાસના સ્થળો છે, ત્યારે સમગ્ર ગુજરાતના વકીલ આલમે તુર્કી અને અઝરબૈજાનમાં પ્રવાસ ટાળીને આ બન્ને દેશોનો સખત બહિષ્કાર કરવો જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે સમગ્ર રાજ્યમાં સામાજિક સ્તરે કામ કરતા સંગઠનો અને અન્ય તમામ સામાજિક અને વ્યવસાયિક સંગઠનોને પણ અપીલ કરી છે કે જે રીતે સમગ્ર ગુજરાતના વકીલો તુર્કી અને અઝરબૈજાન બન્ને દેશોના પ્રવાસનો બહિષ્કાર કરશે તે જ રીતે તમામ સંગઠનો દ્વારા તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ નહીં કરવા સમગ્ર ગુજરાતમાં મોટા પાયે અભિયાન ચલાવવું જોઈએ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને તેમજ દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલના અધ્યક્ષોને પત્ર પાઠવીને આ અપીલ કરી હોવાનું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અખબારી યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application