જામનગરના પાછલા તળાવમાંથી યુવાનની લાશ મળી

  • October 10, 2025 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના મીગ કોલોની પાસેના પાછલા તળાવમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, દરમ્યાન આ મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.

​​​​​​​
શહેરના મીગ કોલોની પાસે આવેલ લાખોટા તળાવમાં એક યુવાન પડી ગયો હોવાની વિગતો મળતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને સ્થાનીક તરવૈયાઓએ પાણીમાંથી યુવાનને બહાર કાઢયો હતો, દરમ્યાન ૧૦૮ની ટુકડીને જાણ કરતા સ્થળ પર દોડી આવી હતી અને તપાસ કરી યુવાનને મૃત જાહેર કર્યો હતો, મરનાર સુરેશભાઇ દેવીપુજક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું, બીજી બાજુ આ બનાવ સબંધે પોલીસ દ્વારા સ્થળ પર દોડી આવીને તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application