કુખ્યાત અજય પરસોંડાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું

  • May 17, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અસમાજિક તત્વોની સામે આકરી કાર્યવાહીના ભાગરૂપે તેમના ગેરકાયદે મકાન સહિતના બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે.ત્યારે ૧૫ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત અજય પરસોંડાના પોપટપરમાં આવેલા ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.પોપટપરા શેરી નં.9માં રહેતા અને ગેરકાયદે દબાણ કરનાર અજય માનસિંગ પરસોંડાના ઘર પાસે શુક્રવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ, મહાનગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ પહોંચી હતી. અજયના કબજાના મકાન અને ઓરડીનું ગેરકાયદે વીજજોડાણ કાપી નાખ્યા બાદ તેના મકાન અને ઓરડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મકાન ધરાશાયી કરતી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અજય પરસોંડા વાહન ચોરી, અપહરણ, રાયોટિંગ, લૂંટ અને ચીલઝડપ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગુનેગારના મકાનનું ડિમોલિશન થતા અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application