કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના આયોજન અંગે બેઠક યોજાઇ: ખંભાળીયા હાઈવે, સ્વામીનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ પૂર્ણ થયે એરોબેટીક શો પણ યોજાશે
જામનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ વર્ષે જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખંભાળિયા હાઈવે, સ્વામી નારાયણ મંદિરથી આગળ, એરપોર્ટ રોડની સામેના ખુલ્લા મેદાનમાં કરવામાં આવશે. તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ સૂર્યકિરણ એરોબેટિકસ ટીમ દ્વારા એરોબેટીક શો નું પણ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને કલેકટરશ્રી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ લગત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech