તુર્કીમાં બે કલાક પણ ન ચાલી રશિયા-યુક્રેનની વાતચીત, શાંતિ માટેની મીટિંગ રહી બેનતીજા; ક્યાં અટકી વાત?

  • May 16, 2025 11:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન અને યુક્રેનિયન વાર્તાકારોએ શુક્રવારે ઇસ્તંબુલમાં પ્રથમ વખત રૂબરૂ શાંતિ વાટાઘાટો કરી.


આ વાટાઘાટો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણને કારણે શક્ય બની શકી છે. તુર્કીની ન્યૂઝ ચેનલો પર આ ચર્ચાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. બેઠકની શરૂઆતમાં તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાન ભાષણ આપી રહ્યા હતા.


શું યુદ્ધ ખતમ થઈ જશે?

યુદ્ધવિરામને લઈને અપેક્ષાઓ પહેલેથી જ ઓછી હતી, પરંતુ ગુરુવારે બાકી રહેલી થોડી આશાનું કિરણ પણ આથમતું દેખાયું, જ્યારે ટ્રમ્પે કહ્યું કે તેમની અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક વિના કોઈ પ્રગતિ થશે નહીં. મધ્ય પૂર્વનો પ્રવાસ પૂરો કરીને અમેરિકા પાછા ફરી રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેઓ "આપણે જેટલી જલદી વ્યવસ્થા કરી શકીશું તેટલી વહેલી તકે" તે રશિયન નેતાને મળશે.


પુતિન પર લાગી રહ્યા છે આ આરોપ

યુક્રેન અને તેના સહયોગી દેશો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ટાળમટોળનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ શાંતિને લઈને ગંભીર નથી. હકીકતમાં પુતિને જ તુર્કીમાં સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના પડકારને ઠુકરાવી દીધો અને તેમને વ્યક્તિગત રીતે તુર્કીમાં મળવાની વાત કહી. તેના બદલે તેમણે મધ્યમ સ્તરના અધિકારીઓની એક ટીમ મોકલી અને યુક્રેને પણ આ જ સ્તરના વાર્તાકારોને નિયુક્ત કરીને જવાબ આપ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application