સલાયા પાસે આવેલ બારા ગામે જમુનેશ મહાપ્રભુજી બેઠકમાં છપ્પનભોગ બોલાવવાનો અલૌકિક ધાર્મિક કાર્યક્રમ

  • June 13, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા પાસે આવેલ બારા ગામે જમૂનેસ મહાપ્રભુજીની પૌરાણિક બેઠક આવેલ છે. આ બેઠકજીમાં આવતી તારીખ ૧૬નાં રવિવારે વૈષ્ણવ પરિવાર દ્વારા અલૌકિક છપ્પન ભોગ દર્શન તેમજ જય ગોપાલ બોલાવવા અને ઢાઢી લીલાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. તા. ૧૬નાં રોજ બપોરે છપ્પન ભોગ દર્શન અને ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ રાત્રીના કીર્તન અને ઢાઢી લીલા નું સુંદર આયોજન કરેલ છે.સર્વે વૈષ્ણવ પરિવારને પધારવા અદા મથુરાદાસ પોપટલાલ જોષી પરિવાર તથા વલ્લભદાસ રવજીભાઈ હિંડોચાં પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે. જમૂનેશ બેઠકમાં આં છપનભોગ દર્શન અંદાજિત 50 વર્ષો બાદ થવા જઈ રહ્યો છે. જેથી વૈષ્ણવોના પરિવારમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દર્શન પ્રસાદીનો લાભ લેવા કિશોરઅદાએ વૈષ્ણવોને ભાવભર્યું નિમંત્રણ આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application