એક વખત મોબાઇલની અંદર ઘુસી ગયા પછી આપણે નીકળી શકતા નથી, હવે ચિંતા કરવાનો સમય આવી ગયોઃ CM ભુપેન્દ્ર પટેલ

  • May 21, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા ની જાહેરાત કરતા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોબાઈલ ના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આજે આપણે આ મોબાઈલથી છૂટી નથી શકતા તો આપણા સંતાનોને આપણે કેવી રીતે કહી શકીએ એવો સવાલ પણ તેમને ઉઠાવે છે પરંતુ તેને શરૂઆત આપણે જ કરવી રહી.


સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા પછી ઉદબોધન કરવા ઊભા થયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક વખત મોબાઇલની અંદર ઘુસી ગયા પછી આપણે નીકળી શકતા નથી તો આ આપણે આપણા સંતાનોને શું સલાહ આપી શકીએ અને આ મામલે આપણે શરૂઆત કરવી રહી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આજે સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવા માટે એક વિશેષ પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં એશિયાટિક લાયનની સંખ્યા ૮૯૧ સુધી પહોંચી હોવાની જાણકારી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application