જિલ્લાના સાંસદ- ધારાસભ્ય- મેયર- કલેકટર- કમિશનર- એસપી સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે
જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શો ની બાજુમાં આવતી કાલે તા. ૨૪મી જાન્યુઆરી ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યા થી રાત્રી ના ૯.૦૦ વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહો નું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન નો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે. આ નિદર્શનના કાર્યક્રમમાં જામનગર શહેર અને જિલ્લાના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી,મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, જામનગરના જિલ્લા કલેકટર ભાવિનકુમાર પંડ્યા, કમિશનર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી. પરમાર વગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બનશે, અને તેઓની ઉપસ્થિતિમાં પ્લેનેટ નિદર્શનનો કાર્યક્રમ યોજાશે.
આ વેળાએ જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડિસ્ટ્રિક કો. ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા, ઉપરાંત શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણભાઇ ભાટુ ઉપસ્થિત રહેશે, તેમજ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા, સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ પણ આ પ્લેનેટ નિદર્શનમાં કાર્યક્રમમાં જોડાશે.
જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ દ્વારા જામનગર શહેર અને આસપાસના વિસ્તારની ખગોળ પ્રેમી જનતાને આ ખગોળીય ઘટનાનું અત્યાધુનિક ટેલિસકોપના માધ્યમથી પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે અનુરોધ કરાયો છે.
આ કાર્યક્રમ દરમિયાન મંગળ ના ગ્રહ ની માહિતી એમડી મહેતા સાયન્સ સેન્ટર - ધ્રોળ ના સંજય પંડયા દ્વારા આપવામાં આવશે, જ્યારે ગુરૂ ગૃહ તથા શનિ ગ્રહો ની માહિતી ખગોળ મંડળ- જામનગરના કિરીટભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવશે, અને શુક્ર ના ગ્રહ તથા આકાશ ના અન્ય તારાઓની માહિતી કિરીટભાઈ શાહ દ્વારા આપવામાં આવશે.
આગામી ૨૪મી તારીખ ને શુક્રવારે સાંજે ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે અને જુદા જુદા ચાર ગ્રહો ને અલગ અલગ ચાર ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી શકાય તે માટે પ્રત્યેક ગ્રહ ઉપર એક એક ટેલિસ્કોપ મૂકવામાં આવશે, અને જે ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપ ના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મુવમેન્ટ ને દર્શાવાશે.
સાથો સાથ આકાશ ગંગામાં રહેલા અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવશે, અને તે તારાઓને ટેલિસ્કોપના માધ્યમથી દર્શાવવામાં આવશે.
આથી જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ખગોળ પ્રેમીઓએ આ તમામ પ્લેનેટની પરેડ વિશેની વિશેષ જાણકારી મેળવવા માટે અને ટેલિસ્કોપના માધ્યમથી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે આગામી તારીખ ૨૪મી જાન્યુઆરીના સાંજના ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા ના સમય ગાળા દરમિયાન પ્રદર્શન મેદાનમાં ઉપસ્થિત રહેવા બંને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMજૂનાગઢ જેલમાંથી હિરલબાનો કબ્જો લઇને થશે ઉંડાણથી પૂછપરછ
May 16, 2025 04:51 PMપોરબંદર પોલીસ સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજાની કરશે પૂછપરછ
May 16, 2025 04:50 PMપોરબંદરમાં અદાણી ગેસની પાઇપલાઇનથી રોડને થયો ગેસ!
May 16, 2025 04:48 PMશ્રી હરિમંદિરના શિખરે સુર્યોદય
May 16, 2025 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech