પોરબંદરમાં રાજીવ ગાંધીને કોંગ્રેસે પાઠવ્યા શ્રદ્ધાસુમન

  • May 22, 2025 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભારત દેશના પુર્વ વડાપ્રધાન અને ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પોરબંદર જીલ્લા  કોંગ્રેસ દ્વારા કમલાબાગ નજીક આવેલ અર્ધ કદની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી અને બે મિનિટનું મૌન પાળી રાજીવજીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી, 
જિલ્લા મહામંત્રી કાંતિભાઈ બુધેચાએ જણાવ્યું હતુ કે, જ્યારે ટેક્નોલોજીનો સમય નહોતો તેવા સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને તે સમયે ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવી હતી,આજના દિવસે ધીર ગંભીર અને શાંત સરળ સ્વભાવના વડાપધાન રાજીવ ગાંધીને કોટિકોટી પ્રણામ કરી યાદ કર્યા હતા સાડા ચાર દાયકાના સમય પછી પણ આજે જ્યારે મૃદુ અને શાંત સ્વભાવના રાજીવ ગાંધીની યાદોને ભુલાતી નથી,આ શ્રધાંજલિ કાર્યકમમાં  રાજવીરભાઈ બાપોદરા, વિપુલભાઈ ચંદારાણા, શામળાભાઈ, જયેશભાઈ ઓડેદરા, વજુભાઈ પુનાણી,દેવાભાઈ નારણભાઈ ચાંચિયા, અજય મોઢા, ઇકબાલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application