ખંભાળિયા તાલુકાના દાતા ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 322 પૈકી 9, જુના રેવન્યુ સર્વે નંબર 326 પૈકીની ખેતીની જમીન કે જે સંબંધે ખતુબેન બાવાભાઈએ ગુજરનાર જુસબ બાવાભાઈએ ગુજ. જુસબ બાવાભાઈ તથા અકબર મામદ, મામદ મુંગર સામે જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મેળવવા માટેનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસના ચાલુ કામે મનાઈ હુકમ કરવામાં આવેલ હોય, જેથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પણ થઈ હતી. આ કેસ સિવિલ અદાલત સમક્ષ 11 વર્ષ ચાલ્યો હતો.
જેમાં પુરાવાના અંતે આખરી દલીલ પ્રતિવાદી તરફે થતાં તાજેતરમાં નામદાર કોર્ટે પ્રતિવાદી ગુજર જુસબ બાવાભાઈ વિગેરે વતી રોકાયેલા ખંભાળિયાના સિનિયર એડવોકેટ કે.એચ. ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, વાદી ખતુબેન બાવાભાઈ કે જેઓ ચાલુ કામે અવસાન પામતા તેમના વારસો નૂરમામદ ઈસ્માઈલ ખીરા વિગેરે 10 જોડાયેલા હોય, તેમની દાવા અરજી ખર્ચ સહિત નામદાર કોર્ટેના મંજૂર કરી હતી અને પ્રતિવાદીને કેસના કામે થયેલા ખર્ચ આપવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં પ્રતિવાદી ગુજર જુસબ બાવા વિગેરે 3 તરફે ખંભાળિયાના સિનિયર એડવોકેટ કમલભાઈ ત્રિવેદી, ડી.ડી. લુણા, આસિસ્ટન્ટ કરણભાઈ સવજાણી, ધાર્મિક રાજગોર વિગેરે રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech