જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના પિતરાઈ ભાઈ એ છરીના ચાર જેટલા ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.
આરોપીની પત્નીને મૃતક યુવાન આઠ મહિના પહેલા નસાડી ગયો હોવાનું અને પોતાના જ ઘરમાં બેસાડી હોવાથી તેનો બદલો વાળવા માટે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના ૨૮ વર્ષના યુવાન પર દિગ્વિજય પ્લોટ શેરી નાં ૫૪ ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ એવા દિલીપ રમેશભાઈ ચૌહાણએ છરીના ઉપરા છાપરી ૪ જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી.
મૃતક યુવાન પોતાના એકટીવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો, જેથી મૃતક યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો, અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું, જ્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો, જયારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતીઝ જેમાં મૃતક યુવાન જયેન્દ્ર ઉર્ફે જયલો કે જે આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ઉઠાવી ગયો હતો, અને પોતાના ઘરમાં બેસાડી છે. જેનું મનદુઃખ રાખીને આરોપીએ મોકાનો લાભ લઇ હત્યા કરી નાખી પોતાનો મનસુબો પર પડ્યો હતો, અને જયેન્દ્રની હત્યા કરી છે.
સમગ્ર મામલામાં પોલીસ દ્વારા મૃતક જયેશના પિતા જગદીશભાઈ ચાવડા ની ફરિયાદના આધારે આરોપી દિલીપ સામે હત્યા અંગે ગુન્હો નોંધ્યો છે, અને તેને અટકાયતમાં લઈ લીધો છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
