શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ-જામનગર ખાતે તા. 22 ઑગસ્ટના રોજ સરકારના 'જ્ઞાન કુંજ' પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત અધ્યતન કમ્પ્યૂટર લેબનો વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
અધ્યક્ષસ્થાને શ્રી વિદ્યોતેજક મંડળના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સહમંત્રી હસમુખભાઇ શાહ તથા ડૉ.સંજય દતાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહેમાનોને આવકારીને આચાર્ય કેતનભાઇ વાછાણીએ આધુનિક સમયમાં શિક્ષણમાં કમ્પ્યૂટરમાં મહત્વ સમજાવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં અરવિંદભાઈએ "કમ્પ્યૂટર આજના બાળકોને ભવિષ્યના ઘડતરમાં ઘણું લાભદાયક છે" એ મતલબની વાત કરી હતી. સહમંત્રી પણ "કોમ્પ્યુટર શિક્ષણ આજના સમયની માંગ" અંગે વિદ્યાર્થી ઓને સમજ આપી. તથા મહેમાનો તથા વિદ્યાર્થી ઓના હસ્તે કમ્પ્યૂટર લેબને વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન કિરીટ ગોસ્વામીએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech