રવિવારે સવારે 5 વાગ્યે શેઠજી દેરાસર પટાંગણથી પ્રસ્થાન : નવકારશીનું આયોજન
પર્યૂષણ પર્વ પૂર્ણ થયા બાદ હાલમાં જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર પેઢી સંચાલિત જ્યોતિ-વિનોદ ઉપાશ્રય-પાઠશાળામાં જામનગરના પનોતા પુત્ર પ.પૂ. હેમન્તવિજયજી મ.સા. 40 વર્ષ પહેલા દિક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત જામનગરમાં ચાર્તુમાસ કરવા પધારેલ છે. તેમની સાથે પ.પૂ. દેવરક્ષિતવિજયજી મ.સા. નિશ્રામાં પર્યૂષણ પર્વમાં આશરે 200 જેટલી તપશ્ર્ચર્યા પૂર્ણ કરેલ હતી. તમામ તપસ્વીઓને ખૂબ જ સારી સાતા રહી હતી. જામનગરથી નજીક ધુંવાવ ગામે 500 વર્ષ પ્રાચીન જિનાલય સુપાર્શ્ર્વનાથ દેરાસર આવેલુ છે. આ ધુંવાવમાં જૈનોના અગાઉ ઘણાં બધા ઘરો હતા. હાલમાં એકપણ ઘર જૈનનું નથી.
વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત ધુંવાવમાં આવેલ સુપાર્શ્ર્વનાથજી જિનાલય શેઠજી જૈન દેરાસર પેઢી સંચાલિત ચલાવવામાં આવે છે. આ ચમત્કારીક જિનાલયે રવિવાર તા. 15ના રોજ શેઠજી દેરાસર પટાંગણમાંથી સવારે 5 વાગ્યે પગપાળા (પગેચાલી) ને ધુંવાવ તિર્થે જવાનું છે. ધુંવાવ જિનાલયે પહોંચીને ત્યાં સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે. ત્યારબાદ નવકારશીનું આયોજન કરેલ છે. જેના પાસ રૂા. 50 આપી (રિફંડેબલ) ચાંદીબજારમાં આવેલ પાઠશાળામાં પેઢીમાંથી મેળવવાના રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝેલેન્સ્કીની જેમ જ ટ્રમ્પ ઓફિસમાં દ. આફ્રિકાના પ્રમુખ સાથે બાખડ્યા, જાણો કારણ
May 22, 2025 11:33 AMમોત માત્ર વેત છેટું હતું, ટીએમસી નેતાએ વર્ણવ્યો ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગનો અનુભવ
May 22, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech