જોખમી ઢાંકણાઓના કારણે અકસ્માત થવાની સંભાવનો
ભાણવડ શહેરમાં ભૂગર્ભ ગટરની કુંડીઓમાં મુકાયેલા મોટાભાગના ઢાકણાઓની હાલત જર્જરીત બની ગઇ છે, જાણે અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિમાં નજરે પડી રહ્યા છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા જોખમી ઢાંકણાઓને હટાવી નવા ઢાંકણા માટેની લોકોમાં માંગણી ઉઠી છે.
શહેરમાં અગાઉ ખુલ્લી ગટરો હતી, આવી ગટરોમાં દુર્ગંધ મારતા પાણી સહિત ગંદકીની સમસ્યા પણ ખૂબ જ હતી ત્યારે ગંદકીને નિવારવા માટે સરકારી તંત્ર દ્વારા ઘણાં સમય પહેલાં ભૂર્ગભ ગટરનું નિમર્ણિ કર્યું છે.
આ માટે ઠેકઠેકાણે જાહેર રોડ, રસ્તા અને નાની મોટી શેરી ગલીઓમાં ગંદા પાણીના સ્ટોરેજ માટે કુંડીઓ બનાવી તેના ઉપર જે તે વખતે ઢાકણાઓ મુકવામાં આવ્યા હતા. આમ ઘણાં સમય પહેલા મુકવામાં આવેલા ઢાંકણાઓ હવે જર્જરીત બનવા લાગ્યા છે, તો અમુક ઢાંકણા હવે તુટવા પણ લાગ્યા છે.
ખાસ કરી જાહેર રોડ, રસ્તા ઉપર નાના મોટા વાહનો તેમજ બાઇક સવારો અને રાહદારીઓની અવરજવર દિવસ દરમ્યાન રહેતી હોય, ત્યારે જોખમી ઢાંકણાઓના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે, આ માટે સરકારી તંત્ર તાકીદે ઘ્યાન આપે એવી માંગણી લોકોમાં થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech