શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ મીત્ર મંડળ આયોજીત આ કથા તા.૧૨થી ૧૮ સુધી યોજાશે: તા.૧૨ના રોજ પોથીયાત્રા ૫:૩૦ વાગ્યે, તા.૧૫ના રોજ કૃષ્ણ જન્મોત્સવ, તા.૧૭ના રોજ કૃષ્ણ-રુક્ષ્મણી વિવાહમાં જોડાવવા ભકતોને અપીલ
જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મોટા વકતાની રાત્રી કથા યોજાઇ હોય એવું બન્યું નથી, જાણીતા કથાકાર પૂ.જીગ્નેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આગામી તા.૧૨ થી ૧૮ દરમ્યાન તુલસીનગરી, તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ જામનગર ખાતે યોજાશે જેની પોથીયાત્રા તા.૧૨ના રોજ સાંજે ૫:૩૦ થી બાલા હનુમાનથી નિકળશે અને કથા સ્થળ સુધી આવી પહોંચશે. આ કથામાં ઉપસ્થિત રહેવા ભકતજનોને અપીલ કરવામાં આવી છે.
આ કથાના વ્યાસપીઠ પરથી પૂ.જીગ્નેશ દાદા દરરોજ રાત્રે ૮:૩૦ થી રાત્રીના ૧૨ સુધી કથાનું રસપાન કરાવશે, તા.૧૮ના રોજ કથાની પુર્ણાહુતી થશે, આજની યુવા પેઢી સતત પોતાની દિનચર્યા અને વ્યવસાયમાં પરીવારમાં વ્યસ્ત હોય છે, તેની આવનારી પેઢી સમય કાઢી આ ભાગવત કથામાં શ્રવણ કરે એ રીતે પુ.દાદાની કથાનું આયોજન કરાયું છે.
આ કથાની પોથીયાત્રા તા.૧૨ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે બાલા હનુમાનથી નિકળશે અને તુલસીનગરીએ પહોંચશે, ત્યારબાદ તા.૧૫ના રોજ કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ અને વામન જન્મોત્સવ, તા.૧૬ના રોજ ગીરીરાજ ઉત્સવ, તા.૧૭ના રોજ કૃષ્ણ-રુક્ષ્મણી વિવાહ અને તા.૧૮ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે કથાનો વિરામ થશે. શ્રી કૃષ્ણ મીત્ર મંડળ અને શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર કથાનું આયોજન કરાયું છે, જેનો લાભ લેવા જામનગરવાસીઓને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે, આ કથા દરરોજ ૮:૩૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલશે તેમ યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech